એક વાણિયો 5 રુપિયામાં રોટી વેચતો હતો.

તેને રોટીની કીંમત વધારવી હતી પરંતુ રાજાની અનુમતિ વિના કોઈ પણ કીંમત વધારી શકતો ન હતો. એટલે તે રાજાની પાસે પહોંચ્યો, બોલ્યો રાજાજી ! મારે રોટીની કીંમત 10 રુપિયા કરવી છે.
રાજા બોલ્યો, તમે 10 નહીં, 30 રુપિયા કરો, 
વાણિયો બોલ્યો, મહારાજ ! તેનાથી તો હાહાકાર મચી જશે, 
રાજા બોલ્યો, એની ફિકર તમે ન કરો, તમે 10 રુપિયા કરી દેશો તો મારાં રાજા હોવાનો શો ફાયદો ! તમે પોતાનો ફાયદો જૂઓ અને 30 રુપિયા કીંમત કરી દો.
બીજા દિવસે વાણિયાએ રોટીની કીંમત વધારીને 30 રુપિયા કરી દિધી, 
નગરમાં હાહાકાર મચી ગયો. નગરજનો રાજાની પાસે પહોંચ્યા, બોલ્યા, મહારાજ ! આ વાણિયો અત્યાચાર કરી રહ્યો છે, 5 રુપિયાની રોટી 30 માં વેચી રહ્યો છે.
રાજા સિપાઈઓને બોલ્યો, તે ગુસ્તાખ વાણિયાને મારાં દરબારમાં હાજર કરો.


વાણિયો જેવો જ દરબારમાં પહોંચ્યો, રાજાએ ગુસ્સામાં કહ્યું, ગુસ્તાખ! તારી એ હિંમત કે તેં મને પૂછ્યા વિના કેવી રીતે દામ વધારી દિધા ! આ જનતા મારી છે તું એમને ભૂખે મારવા માંગે છે ! રાજાએ વાણિયાને આદેશ દિધો, કાલથી તું અડધા ભાવથી વેચીશ, નહીં તો તારું માથુ અલગ કરી દેવામાં આવશે.

રાજાનો આદેશ સાંભળતા જ પૂરી જનતાએ જોરથી.... મહારાજની જય હો...., જય હો... નારાઓથી દરબાર ગુંજી ઉઠ્યો.

*પરિણામ.....!!!*

*બીજા દિવસથી 5 ની રોટી 15 રુપિયામાં વેચાવા લાગી.*
*જનતા ખુશ...! વાણિયો ખુશ...!! અને રાજા પણ ખુશ...!!!*

*સમજ્યા કે....?*
*વર્તમાન ભારતીય પરિદ્રશ્યની, એક ઝલક* 🤔

Post a Comment

أحدث أقدم