જો તમને ટૂંકા ગાળા માટે પૈસાની જરૂર પડે, તો સૌથી સહેલી રીત છે પર્સનલ લોન

                    લોકો હંમેશા પર્સનલ લોન લેતા પહેલા અચકાય છે, કારણ કે તે વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી હોતી. પરંતુ પર્સનલ લોન દ્વારા આપણે પોતાની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. બેન્કો અને જુદી જુદી નાણાકીય સંસ્થાઓએ નક્કી કરેલા વ્યાજદર પર પર્સનલ લોન મળી રહે છે એટલે કે ફરવાથી લઈને શોપિંગ, જ્વેલરી કે બિઝનેસ શરૂ કરવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે પર્સનલ લોન ઉપયોગી બની શકે છે. તમને જણાવી દઈે કે પર્સનલ લોનમાં ઓછામાં ઓછા 50 હજારથી લઈને વધુમાં વધુ 50 લાખ સુધીની રકમ મળી શકે છે. પર્સનલ લોન લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એ અમે તમને જણાવીશું



પર્સનલ લોન

                        કોઈ વ્યક્તિ પર્સનલ લોન ત્યારે જ લે છે જયારે તેને અચાનક નાણાંની જરૂરિયાતો ઉભી થઇ હોય. જો કે, કોઈ પણ વ્યક્તિને બેંકોને લોન આપવાનું સરળ નથી. તેઓ લોનની મંજૂરી આપતા પહેલા PERSONAL  LOAN (પર્સનલ લોન) ના અરજદારની પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ પરિબળો પર વિચાર કરે છે. જે મૂળભૂત રીતે ક્રેડિટ સ્કોરને નિયંત્રિત કરે છે.


                            ક્રેડિટ બ્યુરો ક્રેડિટ સ્કોરના કેલ્ક્યુલેશન વ્યક્તિની રિપેમેન્ટ હિસ્ટ્રી, ક્રેડિટ હિસ્ટ્રીનો સમયગાળો, ક્રેડિટ ઉપયોગિતા ગુણોત્તર, લોન / ક્રેડિટ કાર્ડ પૂછપરછ, માસિક આવક, નિશ્ચિત જવાબદારીથી આવક ગુણોત્તર (એફઓઆઈઆર), રોજગારદાતા પ્રોફાઇલ, નોકરીની સ્થિરતા અને સ્થાન પર આધારિત છે. આ પરિબળોનું આદર્શ સંચાલન અરજદારના ક્રેડિટ સ્કોરમાં સુધારો કરવામાં મદદ કરે છે અને લોન મેળવવાની શક્યતા વધારે છે.


                            એમ ડી  ફાઇનાન્સ તમને એક સૌથી અનુકૂળ અને સરળતાથી મળતી પર્સનલ લોન આપે છે. અમે પર્સનલ લોનની એક વ્યાપક શ્રેણી ઓફર કરીએ છીએ, તેથી જો તમે તમારા ડ્રીમ વેકેશન, લગ્ન અથવા તબીબી કટોકટી માટે લોન લેવા માંગતા હો, તો અમે તમને આવરી લીધા છે. પર્સનલ લોન પર અમારી ત્વરિત મંજૂરી, ન્યુનત્તમ દસ્તાવેજીકરણ, મહત્તમ સુગમતા અને 48 કલાકથી ઓછા સમયમાં વિતરણ જેવી મુખ્ય સુવિધાઓ મળે છે. આ ઉપરાંત તમને સરળ ઈએમઆઈ વિકલ્પો સાથે રૂ. 30 લાખ સુધીની લોન મળે છે.


વિશેષતાઓ:

રૂ. 30 લાખ સુધીની લોનઓછામાં ઓછા દસ્તાવેજોતરત મંજૂરી સાથે સંપૂર્ણપણે ઑનલાઈન પ્રક્રિયાઝડપી પ્રક્રિયા માટે આધાર દ્વારા ઈ-કેવાયસી અને ઈ સાઈન8 કલાકમાં ઍક્સપ્રેસ લોન


તેણે કહ્યું, ‘જો તમારો ક્રેડિટ સ્કોર 750 હોય તો તે સારો ગણાય છે. પ્લસ, ક્રેડિટ સ્કોર જેટલું વધારે, લોન મેળવવાની એટલી વધુ શક્યતા છે. ‘


અહીં કેટલીક ટીપ્સ છે, જે તમારા વ્યક્તિગત લોનની યોગ્યતાને સુધારે છે અને તમને તમારી લોન અરજીને નકારવાથી અટકાવે છે.


યાદ રાખો

 જો તમારી પાસે પૂરતી બેંક બેલેન્સ નથી, તો તમારી લોન અરજી રિજેક્ટ કરી શકે છે. મોટા ભાગની બેંકો તમારી લઘુતમ માસિક આવકને ધ્યાનમાં લે છે અને તમારી લોન એપ્લિકેશનને ધ્યાનમાં લે છે અને તે પછી તમારી લોનની રકમ મંજૂર કરે છે.


જો તમારી લોન અરજી રિજેક્ટ ન થાય તો તમે તમારી લોનની કિંમત એલિજિબિલીટીનાની ગણતરી પહેલેથી જ કરી લો અને એલિજિબિલિટી લિમિટની અંદર જ લોન માટે અરજી કરો. તમારી પાસે લાંબા સમયગાળા માટે લોન લેવાનો પણ વિકલ્પ હોય છે. જેનો અર્થ છે કે તમારો ઇએમઆઇ ઓછો થશે અને અને તે માટે એફઓઆઈઆર ઓછો થશે, જેથી તમારી લોન મળવાની શક્યતા વધી જાય છે.”


ક્રેડિટ કાર્ડની બાકી રકમ અને લોન માટે ઇએમઆઈના સમયસર ચુકવણી

કોઈપણ બેંકને વ્યક્તિગત લોન માટે અરજી કરતાં પહેલાં, અરજદારએ તેના વર્તમાન ક્રેડિટ કાર્ડ બિલ અને સમય પર ઇએમઆઈ લોન લેવી જોઈએ. કારણ કે આ તમારા ક્રેડિટ સ્કોરને સુધારે છે, જેનાથી ગ્રાન્ટ મંજૂરીની સંભાવના વધે છે.

તમારા ક્રેડિટ ઉપયોગ ગુણોત્તર 30% થી નીચે રાખો

ક્રેડિટ વપરાશ પ્રમાણ એ ક્રેડિટ કાર્ડ ધારક દ્વારા વપરાતી કુલ ક્રેડિટ કાર્ડ મર્યાદાનો ગુણોત્તર છે. અગ્રવાલે જણાવ્યું હતું કે, “નાણાકીય સંસ્થાઓ 30 ટકાથી વધુ ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશીયોને યોગ્ય માનતા નથી અને તે માટે જ ક્રેડિટ બ્યુરો આ સીમાના ઉલ્લંઘન પર ક્રેડિટ સ્કોરમાં ઘટાડો કરે છે.  જેનાથી તમને લોન મળવાની સંભાવના ઓછી થઇ જાય છે. તેથી જ તમે તે ધ્યાન રાખો કે તમારો ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશિયો 30 ટકાની નીચે જ રહે.


પર્સનલ લોન લેવાની ઈચ્છા ધરાવતાં લોકો માટે અહી મહત્વની જાણકારી આપવામાં આવી છે.

                        બજારમાં મળતી વિવિધ પ્રકારની લોનોમાં પર્સનલ લોનના વ્યાજદરો સૌથી વધારે હોય છે. પર્સનલ લોનમાં જામીનગીરી તરીકે સંપત્તિ ગીરો મૂકવામાં આવતી નથી કે કોઈ ગેરંટરની પણ જરૂર હોતી નથી. તમારે તેનો હેતુ દર્શાવવાનો હોતો નથી અને તેની મંજૂરીની પ્રક્રિયા પણ વધારે તકલીફવાળી હોતી નથી. 


                        પર્સનલ લોનનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં શિક્ષણ લોન કે હોમ લોનની જેમ વધારે પૂછપરછ કરવામાં નથી આવતી. પરંતુ આ સગવડના બદલામાં ઊંચી કિંમત ચૂકવવી પડે છે. નાણાકીય સલાહકાર, જાણકાર અને બેન્ક સુધ્ધાં પણ આ પ્રકારની લોનથી બચવાની સલાહ આપે છે. ટૂંકા ગાળાની જરૂરિયાત માટે રોકડ ન હોય તેવી વ્યક્તિ માટે જ પર્સનલ લોન આદર્શ રહે છે. 


                            આ લોન અરજદારની હાલની નાણાકીય સ્થિતિ તેમજ તેની પાસે આવતી રોકડ એટલે કે પગાર કે વેપારમાં થતાં નફાને આધારે આપવામાં આવે છે તેના કારણે તેના વ્યાજદરો  વધારે (26 ટકા સુધીના) હોઈ શકે છે.

                    અહીં આગળ જતા એવી પરિસ્થિતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેમાં પર્સનલ લોન લઈ શકાય છે. પરંતુ આવી લોન ત્યારે જ લેવી જોઇએ કે જ્યારે તમે તમારા વ્યક્તિગત સ્ત્રોતો એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો વગેરે પાસેથી નાણાં ન મેળવી શકતા હો. તમને જ્યાં સુધી નાણાંની જરૂર ન હોય ત્યાં સુધી આ લોન લેવી ન જોઈએ. પર્સનલ લોન અત્યંત મોંઘી હોય છે અને તેના લીધે તમારી નાણાકીય જવાબદારીમાં અનેક ગણો વધારો થઈ શકે છે.

            કાર, ટીવી, મોબાઈલ, જવેલરી વગેરે જેવી વસ્તુ ખરીદવા કે રોજીંદા વપરાશ માટે પર્સનલ લોન ક્યારેય લેવી નહી. આવી લોન ત્યારે જ લેવી જોઇએ કે જ્યારે તે લેવાથી તમારી પાસે રોકડની બચત થતી હોય કે રોકડમાં વધારો થતો હોય. પર્સનલ લોનનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કટોકટી દરમિયાન જ કરો. આપણને આનંદ આપે તેવા મોજ શોખ પુરા કરવાં લીધેલી પર્સનલ લોન આપણને ભવિષ્યમાં તકલીફ આપનારી સાબીત થઇ શકે છે.

                પર્સનલ લોન આપતી વખતે  ધિરાણકારો કોઈ પણ પ્રકારની જામીનગીરી માંગતા ન હોવાથી કેટલાક લોકો માને છે કે તેઓ નાદારી નોંધાવે તો પણ તેમના માટે ગુમાવવાનું કશું નથી. આ વલણના લીધે ધિરાણકારોને અને ધિરાણ લેનારને પણ મોટા પાયે નુકસાન થાય છે. બેન્કો અને અન્ય ધિરાણ સંસ્થાઓ તમારા રિ-પેમેન્ટ રેકોર્ડની માહિતી સિબિલ, એક્સપેરિયન અને ઇક્વિફેક્સ જેવી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને પૂરી પાડે છે. બદલામાં ક્રેડિટ બ્યૂરો આ બધાં રેકોર્ડ જાળવે છે અને અન્ય ધિરાણ સંસ્થાઓ સાથે માહિતીનું આદાનપ્રદાન કરે છે. તમે કોઈ નાદારી નોંધાવી હોય કે ઇ.એમ.આઇ. ચૂકી ગયા હોવ તો કેટલાંક વર્ષો પછી તમને હોમ લોન કે શૈક્ષણિક લોનની ખરેખર જરૂર પડે ત્યારે ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. 

                        એક બાબત હંમેશા યાદ રાખવી કે પર્સનલ લોન એ અનસિક્યોર્ડ હોવાથી અન્ય લોન કરતાં તે મેળવવી અઘરી હોય છે. લોન માટેની પાત્રતા જે તે અરજદારની આવક, અગાઉની લોનની ચુકવણી અંગેની ક્રેડિટ હિસ્ટરી, ધિરાણની પરિસ્થિતિ, આવકનો સ્તર અને હાલનાં રોજગારીનાં સાધનો વગેરે જેવી બાબતો પર આધાર રાખે છે. અરજદારને લોન આપવી બેન્કને જોખમી લાગે તો બેન્ક લોનની અરજી રદ પણ કરી શકે છે અથવા તેના પર તગડા વ્યાજની સાથે વ્યક્તિગત બાંયધરી પણ માંગી શકે છે.


                    લોનની રકમ અરજદારની ઉંમર, વ્યવસાય, શિક્ષણ, ઋણ ચૂકવવાની ક્ષમતા જેવા પરિબળોના આધારે નક્કી થાય છે. પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતી વ્યક્તિને સ્વરોજગાર ધરાવતી વ્યક્તિની સરખામણીએ નીચા વ્યાજદરે લોન મળી શકે છે. લોનની મુદત ૧૨ થી ૬૦ માસની હોઈ શકે છે. આવી લોન સામાન્યપણે પાંચ કરતાં વધારે વર્ષ માટે આપવામાં આવતી નથી. લોનની ચુકવણી માસિક હપતા (ઇ.એમ.આઇ.) દ્વારા થાય છે અને તેને વહેલી ચૂકવવા બદલ તગડા ચાર્જ ભરવા પડે છે. 


                            ધિરાણકારો પોતાનાં વ્યાજ દરનો પ્રકાર ફ્લેટ કે રીડ્યુંસિંગ રાખતાં હોય છે. પ્રથમ દષ્ટિએ ફ્લેટ દરમાં વ્યાજદર નીચો લાગે છે પણ વાસ્તવિક દર ઘણો ઊંચો હોઈ શકે છે. ઇ.એમ.આઇ. માં બધું જ આવરી લેવામાં આવ્યું હોય છે. ઉદાહરણ તરીકે 12 ટકાના ફ્લેટ રેટવાળી એક લાખની લોનના 36 હપ્તા પ્રમાણે એક હપ્તો ૩૮૦૦/- નો થાય છે. જોકે, તેનું વાસ્તવિક વ્યાજ ૨૨% રહે છે. આ કિસ્સામાં વ્યાજ પાછળ ૩૬,૮૦૦/- ની ચુકવણી કરવી પડે છે. એટલે કે વાર્ષિક ચુકવણી ૧૨,૨૨૬/- ની રહે છે. આ રીતે અહી ફ્લેટ દર તરીકે ૧૨% ગણતરીમાં લેવામાં આવે છે. ચૂકવવાપાત્ર મુદ્દલ પર પહેલા મહિનાથી જ હપ્તો ચૂકવવો પડતો હોવાથી, વ્યાજનો વાસ્તવિક દર ૨૨% થાય છે. એટલે ફ્લેટ રેટના બદલે હંમેશા રિડ્યુસિંગ બેલેન્સ રેટના વિકલ્પની પસંદગી કરો.


પર્સનલ લોન ક્યારે ફાયદાકારક હોય છે..?

વધુ વ્યાજદર ધરાવતા દેવાંને ચૂકવવા માટે

                    જો તમારા ક્રેડિટ કાર્ડનું દેવું વધી ગયું હોય અને તમે એક સાથે તેને ચૂકવી દેવા માગતા હો તો પર્સનલ લોનનો વિકલ્પ યોગ્ય ગણાશે. ક્રેડિટ કાર્ડ પર વ્યાજ દર ૩૦ થી ૫૦ ટકા જેટલો ઊંચો હોય છે. ક્રેડિટ કાર્ડની લઘુત્તમ રકમ ચુકવવાથી તમને ફાયદો નહીં થાય તેના કરતાં પર્સનલ લોનના હપ્તા ચુકવવા વધારે સારા. વ્યાજમાં તમારી બચત ૫૦% સુધીની થઈ શકે છે. આ બાબત તમે પર્સનલ લોન કેટલા ટકે લીધી છે તેના ઉપર આધાર રાખે છે.


વ્યાજ ઉપર લીધેલી ઉધારી ચુકવવા માટે

                    ઘણા લોકો પોતાનું દેવું તાત્કાલિક ચુકવવા માટે વ્યાજે નાણાં ધીરતા લોકો પાસેથી નાણાં લે છે. આવી સ્થિતિમાં આપણે માસિક દરે વ્યાજ ચૂકવીએ છીએ અને તે બાદ મુદ્દલ ચૂકવીએ છીએ. તેના વ્યાજદર માસિક ૧.પથી ૩ ટકાના હોય છે જો તમે છ થી સાત મહિ‌ના માટે દેવું ચુકવવાને સક્ષમ હો તો તે લઈ શકાય નહીં તો પછી પર્સનલ લોન લઈને તે દેવું ચૂકવી શકાય છે.


ઉચ્ચ શિક્ષણ માટે

                        ઉચ્ચ શિક્ષણ માટે પર્સનલ લોન લેવી યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે આ પ્રકારની લોન લેવી યોગ્ય નથી કારણ કે આ પ્રકારનો અભ્યાસ પૂરો થતાં જેટલો સમય લાગે છે તે લોન ચુકવવાની સમયમર્યાદા કરતાં વધારે હોય છે. ઉપરાંત નોકરીમાં પગાર પણ એટલો વધારે નથી હોતો કે તેનાથી લોનના વ્યાજની ચુકવણી થઈ શકે. ઉચ્ચ શિક્ષણ એક એવી સંપત્તિ છે કે જે તમને આજીવન સારું વળતર આપે છે. તેને મેળવવાની કિંમત માત્ર પર્સનલ લોનનું વ્યાજ છે. મોટાભાગના કિસ્સામાં લોન ચુકવાય ત્યાં સુધી કે સારી નોકરી મળે ત્યાં સુધી જીવનશૈલી સામાન્ય જ રહે છે.


બાળકોનાં એડમીશન અથવા ડોનેશન માટે

                        આજનાં માતા પિતાને એ ટેન્શન છે કે તેમનાં બાળકો સારામાં સારી સ્કૂલમાં એડમિશન લઈને બેસ્ટ એજ્યુકેશન મેળવે. ઇન્ટરનેશનલ બોર્ડ તેમજ સેન્ટ્ર બોર્ડની શાળાઓમાં એડમિશન ફી તેમજ ડોનેશનની રકમ વધારે હોવાથી પેરેન્ટ્‌સ એકજ વખતે આ રકમ ભરી શકતા નથી. વીસ હજારથી લઇને એક લાખ સુધીની રકમની વ્યવસ્થા કરવા માટે પેરેન્ટ્‌સ પર્સનલ લોન લઇને પણ પોતાના બાળકને પસંદગીની સારામા સારી સ્કૂલમાં શરૂઆતથી જ શિક્ષણ મળે તેમ પ્રયાસ કરે છે.    આજે મોંઘવારી એટલી છે કે બજેટ ગમે ત્યારે ખોરવાઈ જાય. બીજી તરફ સીબીએસઈ બોર્ડમાં પણ બે પ્રકારની શાળાઓ છે. એક બેસ્ટ કેટેગરીની અને બીજી એવી શાળાઓ છે જ્યાં કોઈ જ પ્રકારના ક્વાલીફાઈડ શિક્ષકો નથી. બેસ્ટ કેટેગરીની સ્કૂલમાં ફી ખૂબ જ છે. બોગસ સ્કૂલમાં મૂકવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો. આવા સંજોગોમાં લોન લેવી પડે તો ભલે પણ બાળકને સારું એજ્યુંકેશન તો મળે એવું આજનાં પેરેન્ટ્સ માને છે.


હોસ્પિટલનું બિલ ચૂકવવા

                        હોસ્પિટલનું બિલ ચૂકવવા તાત્કાલિક ભંડોળની જરૂર હોય ત્યારે આ પ્રકારની લોન લઈ શકાય. હોસ્પીટલના ઈમરજન્સી ખર્ચ માટે આ લોન લેવી પડે તો તેમાં ક્યારેય વાર લગાડવી નહિ. તન સારું હશે તો ધન ગમે ત્યારે ભેગું થઇ શકશે. જીવ થી વધુ વિશેષ કઈ પણ હોતુ નથી.


લગ્ન વખતે અન્ય ખર્ચ તેમજ ઘરેણાં ખરીદવાં માટે

                        મોંઘવારીના જમાનામાં લગ્નપ્રસંગે લાખોનો ખર્ચ થઈ જાય છે. મોટા ભાગના લોકો આ પ્રસંગોને ધ્યાનમાં રાખીને અગાઉથી જ બચત કરી લેતાં હોય છે. તેમ છતાં ઘણીવાર લગ્નનો ખર્ચ વધી જતાં સગા પાસેથી ઉધાર પૈસા લેવા પડતાં હોય છે. જો સગા પાસે પૈસાની સગવડ ના થઈ તો છેવટે લોકો બેન્કમાંથી લોન લેતાં હોય છે. અમુક બેંકો આને મેરેજ લોનનું નામ પણ આપે છે


ઘરનાં રીનોવેશન માટે

                    ઘરમાં આવનારા પ્રસંગો માટે આપણે અગાઉથી તૈયારી કરવી પડતી હોય છે. ઘરનું નવીનીકરણ કરવાં ઘણી વાર ખુબજ મોટી રકમની જરૂર હોતી નથી. પ્રોપર્ટી રીનોવેશન માટે નક્કી કરેલું બજેટ એવરેજ હોય તો પર્સનલ લોન લઇ શકાય. 


પર્સનલ લોનનાં અન્ય વિકલ્પો

                        જીવનવીમા પોલિસી પર લેવાતી લોન વધુ સસ્તી હોય છે. મોટા ભાગે લોકો પાસે એકથી વધુ એન્ડોમેન્ટ પોલિસીઓ હોય છે, ટર્મ ઇન્સ્યોરન્સનું ચલણ હાલ વધી રહ્યું છે. જીવન વીમા પોલિસી ગીરવે મૂકીને લોન લેવી બેન્કની લોન કરતાં વધુ સસ્તી પડશે. આ વિકલ્પનો તમે ઉપયોગ કરી શકો છો. 


                    જો કોઈ વ્યક્તિ નૌકરિયાત છે તો તે તેના પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડી શકે છે. પ્રોવિડન્ટ ફંડમાં બાળકોની ઉચ્ચ શિક્ષા અને તેમના લગ્ન માટે પૈસા ઉપાડવાની જોગવાઈ હોય છે. તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાંથી પણ પૈસા ઉપાડી શકો છો. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પી.પી.એફ.) માંથી તમે પૂરા પૈસા ઉપાડી ના શકો. આ પૈસા ઉપાડવા માટે તમારું ફંડ સાત વર્ષ જુનું હોવું જરૂરી છે.


                તમારી પાસે જો કોઈ પ્રોપર્ટી હોય જેમ કે ઘર, પ્લોટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, રાષ્ટ્રીય બચત પ્રમાણ (એન.એસ.સી), આર.બી.આઇ. બોન્ડ, સોનાનાં ઘરેણા, બેન્ક એફ.ડી, ડિબેન્ચર, મ્યુચ્યલ ફંડ વગેરે વિરુદ્ધ પણ તમે લોન લઈ શકો છો જે પર્સનલ લોન કરતાં ઘણી સસ્તી હોય છે.


પગારદાર માણસો પોતાની કંપનીમાંથી એડવાન્સ લઇને પણ દેવાનો બોજ હળવો કરી શકે છે.

જે લોકોએ હોમ લોન કે મોર્ગેજ લોન લીધેલી છે તેઓ તેનાં પર ટોપ-અપ લોન લઇ શકે છે, જે પ્રમાણમાં સસ્તી છે. 

                        પર્સનલ લોન માટે આ દસ્તાવેજ મોટા ભાગે તમે કોઈ લોન લેવા જાવ તો એક જ પ્રકારના દસ્તાવેજની જરૂર પડે છે. ફક્ત એકા બે દસ્તાવેજ ઓછા વત્તા હોઈ શકે છે. પર્સનલ લોન  માટે તમારે 


પાસપોર્ટ સાઈઝ ફોટા, 

ઓળખ નો પુરાવો [પાન કાર્ડ અને આધાર કાર્ડ]

આવકનો પુરાવો,  [પગાર સ્લીપ અથવા ફોર્મ ૧૬ ]

રહેઠાણ નો પુરાવો [ વીજળીનું બિલ અથવા આધાર કાર્ડ ]

ઈ  મેઈલ  આઈડી 


[પગાર ૨૦ હઝાર થી વધુ બેંક માં જમા થતો હોવો જરૂરી છે , રોકડા પગાર માટે આપવામાં નથી આવતી ]


                સમય પહેલા લોન બંધ કરવાનો વિકલ્પ લોન મામલે જો તમે સમય પહેલા જ રિપેમેન્ટ કરો છો તો કોઈ ચાર્જ નથી લાગતો. સમય પહેલા લોન ક્લોઝ કરવાની પ્રોસિઝરને ફોરક્લોઝર કહે છે. જો કે અન્ય લોનમાં ફોરક્લોઝર પર પ્રિપેમેન્ટ પેનલ્ટી લાગે છે. 



લોન આજેજ અરજી કરો    કોઈ  એડવાન્સ ચાર્જ નહિ .[ 0 % કમીશન ] Apply Now

Post a Comment

વધુ નવું વધુ જૂનું